16 January, 2021 12:52 PM IST | Dharwad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકમાં ગઈ કાલે વહેલી સવારે લિટિગિટ્ટી ગામ પાસે એક ટ્રક અને મિની બસની અથડામણ થતાં ૧૧ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા તથા ૬ વ્યક્તિ ઘાયલ થઈ હતી. પારિવારિક પ્રસંગ માટે દેવનાગરીથી ગોવા તરફ જઈ રહેલી આ મિની બસમાં ૧૭ પ્રવાસીઓ હતા, જેમાં મોટા ભાગે મહિલાઓ હતી. સૂચિત દુર્ઘટનામાં મિની બસના ડ્રાઇવર સહિત ૧૦ મહિલાઓ મૃત્યુ પામી હતી. ઈજાગ્રસ્ત ૬ મહિલાઓને સારવાર માટે નજીકના કર્ણાટક ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં લઈ જવાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મરનાર મુસાફરો પ્રત્યે દિલગીરી વ્યક્ત કરતાં ઈજાગ્રસ્તોને ઝડપી રિકવરીની કામના કરી છે.