18 February, 2021 09:22 AM IST | Bhopal | Agency
સીધીમાં થયેલી બસ-દુર્ઘટના બાદ બચાવ-અભિયાનમાં વ્યસ્ત એનડીઆરએફના જવાનો. તસવીર : પી.ટી.આઇ.
મધ્ય પ્રદેશના સીધી જિલ્લાના પાટના ગામમાં બસ નહેરમાં પડવાની દુર્ઘટનાના બચાવ અને રાહત કાર્યકરોને વધુ ચાર મૃતદેહ મળતાં એ અકસ્માતનો કુલ મરણાંક ૫૧ પર પહોંચ્યો છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ગઈ કાલે પણ અકસ્માતના સ્થળની મુલાકાત લીધી હતી. ગયા મંગળવારે પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી પ્રાઇવેટ બસ નહેરમાં પડ્યા પછી પોલીસ, ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને બચાવ અને રાહત કામગીરી દરમ્યાન ૨૦ મહિલા અને બે બાળક સહિત ૪૭ જણના મૃતદેહ મળ્યા હતા. ગઈ કાલે વધુ ચાર પ્રવાસીના મૃતદેહ મળતાં અકસ્માતનો મરણાંક ૫૧ પર પહોંચ્યો હતો.