તેલગંણા: હાઈકોર્ટના વકીલ અને તેની પત્નીની છરી મારીને હત્યા, કેસ નોંધાયો

17 February, 2021 09:19 PM IST  |  Telangana | Gujarati Mid-day Online Correspondent

તેલગંણા: હાઈકોર્ટના વકીલ અને તેની પત્નીની છરી મારીને હત્યા, કેસ નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

તેલગંણાના પેદાપલ્લી જિલ્લામાં હાઈકોર્ટના વકીલ અને તેમની પત્નીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ દુર્ઘટના જિલ્લાના કલવાચેરલા હાઈવેની છે, જ્યાં વકીલ વમન રાવ અને તેમની પત્નીને હુમલાવરોએ છરી મારીને મોતના ઘાટ ઉતાર્યા હતા. ઘટના બાદ મૃતદેહોને એક સરકારી હોસ્પિટલમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને આઈપીસી કલમ 302ના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

 

national news telangana Crime News