બાળ ઠાકરેના પરિવારને સાંત્વના આપવા નરેન્દ્ર મોદી માતોશ્રીમાં

21 November, 2012 04:23 AM IST  | 

બાળ ઠાકરેના પરિવારને સાંત્વના આપવા નરેન્દ્ર મોદી માતોશ્રીમાં



બાળ ઠાકરેનાં અંતિમ દર્શન માટે દેશભરમાંથી અનેક લોકોએ રવિવારે શિવાજી પાર્કમાં હાજરી આપી હતી, પણ ગુજરાતમાં ડિસેમ્બરમાં થઈ રહી ચૂંટણીના પ્રચારમાં નરેન્દ્ર મોદી વ્યસ્ત હોવાથી તેઓ રવિવારે હાજર રહી શક્યા નહોતા. મંગળવારે પ્રચારમાંથી સમય મળતાં જ તેઓ મુંબઈ આવ્યા હતા અને બપોરે ઉદ્ધવ ઠાકરે સહિત તમામ પરિવારને મળીને તેમની સાથે ૪૦ મિનિટ વિતાવી હતી. માતોશ્રીમાંથી નીકળ્યાં બાદ ઍરપોર્ટ પર પહોંચતાં જ તેમણે રાજ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી.

સચિન તેન્ડુલકર માતોશ્રી પહોંચ્યો

બાળ ઠાકરેના અંતિમ સંસ્કાર થયા એના બીજા દિવસે સોમવારે ઠાકરેપરિવારને દિલાસો આપવા ક્રિકેટર સચિન તેન્ડુલકર પત્ની અંજલિ સાથે માતોશ્રી ગયો હતો. શનિવારે બાળ ઠાકરેનું અવસાન થયું એ વખતે સચિન અમદાવાદમાં ઇંગ્લૅન્ડ વિરૂદ્ધ ટેસ્ટ-મૅચ રમી રહ્યો હતો એથી તે બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા નહોતો આવી શક્યો.