સલમાન ખુરશીદે ફેરવી તોળ્યું

21 October, 2012 05:09 AM IST  | 

સલમાન ખુરશીદે ફેરવી તોળ્યું



થોડા સમય પહેલાં કેન્દ્રીય કાયદાપ્રધાન સલમાન ખુરશીદ તેમની સામે છેલ્લા કેટલાક દિવસોથી આંદોલન કરી રહેલા આઇએસીના સભ્ય અરવિંદ કેજરીવાલને ગર્ભિત શબ્દોમાં જાનથી મારવાની ધમકી આપવાના વિવાદમાં ફસાયા હતા. અરવિંદ કેજરીવાલે આવતી પહેલી નવેમ્બરે ઉત્તર પ્રદેશમાં આવેલા સલમાન ખુરશીદના સંસદીય મતક્ષેત્ર ફરુખાબાદમાં દેખાવો કરવાની જાહેરાત કરી હતી જેના પગલે ખુરશીદે તેમના ટેકેદારોને સંબોધતાં ધમકીના સૂરમાં કહ્યું હતું કે ‘કેજરીવાલ અહીં (ફરુખાબાદ) આવશે તો ખરો, પણ પાછો જઈ શકશે નહીં. મને કલમથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે અને હું કલમથી જ કામ કરતો રહીશ, પણ હવે લોહીથી કામ કરવાનો સમય આવી ગયો છે.’

સલમાન ખુરશીદે તેમના ટેકેદારોને સંબોધતાં કેજરીવાલને આપેલી ધમકીનાં દૃશ્યો એકથી વધુ ન્યુઝ-ચૅનલ્સ પર પ્રસારિત થયાં હતાં જેના પગલે વિવાદ ઊભો થયો હતો. જોકે ગઈ કાલે આ મામલામાં સ્પષ્ટતા કરતાં સલમાન ખુરશીદે કહ્યું હતું કે ‘મારી કમેન્ટને ખોટી રીતે રજૂ કરવામાં આïવી હતી અને મિડિયાએ આખી સ્પીચ બતાવવાને બદલે ગણતરીપૂર્વક એનો હિસ્સો એવી રીતે દર્શાર્વ્યો હતો જેને લીધે વિવાદ ઊભો થાય. હું માત્ર એટલું જ કહેવા માગતો હતો કે કોઈ પણ સંજોગોમાં ફરુખાબાદની જનતા મારી સાથે ઊભી રહેશે.’