15 October, 2021 06:18 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હી-હરિયાણા સરહદ પર સોનીપત જિલ્લાની સિંઘુ સરહદ પર એક યુવાનને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. માર્યા ગયેલા યુવક પર ગુરુ ગ્રંથ સાહિબ સાથે છેડછાડ કરવાનો આરોપ છે. ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની માંગણી કરનારા ખેડૂતોના વિરોધના મુખ્ય સ્થળ પાછળ એક યુવાનનો મૃતદેહ બાંધીને લટકતો જોવા મળ્યો છે. લાશને જોઈને સ્પષ્ટ થાય છે કે તેને ઢોર માર મારવામાં આવ્યો છે. ઘટનાસ્થળે લોહી વહી ગયું હતું.
મૃતકની ઓળખ લખબીર સિંહ તરીકે થઈ છે, જે પંજાબના તરનતારનનો રહેવાસી હતો. તે આશરે 35 વર્ષનો હતો અને મજૂરી કામ કરતો હતો. મળતી માહિતી મુજબ સ્ટેજ પાસે તેને પકડીને હત્યા કરવામાં આવી છે. લખનબીર સિંહને હરનમસિંહે દત્તક લીધો હતો જ્યારે તે માત્ર 6 મહિનાનો હતો. લખબીરના જૈવિક પિતા દર્શન સિંહ છે, જેનું નિધન થયું છે. તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.
અહેવાલો મુજબ હરિયાણાના સોનીપત જિલ્લાના કુંડલી વિસ્તારમાં થયેલી ક્રૂર અને બર્બર હત્યાનો નિહંગ - એક `યોદ્ધા` શીખ જૂથ - આરોપ લગાવે છે. આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં નિહંગનો સમૂહ માણસ ઉપર ચડતો દેખાઈ રહ્યો છે. માણસના ડાબા હાથનું કાંડું કાપી નાખવામાં આવ્યું છે અને જમીન પર ઘણું લોહી વેરવિખેર છે.
વીડિયોમાં નિહંગ્સને બતાવવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક ભાલાઓ લઈને, માણસની આસપાસ ઉભા છે અને તેને તેનું નામ અને વતન ગામ વિશે પૂછે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઘાયલ વ્યક્તિની મદદ માટે કોઈ આગળ આવી રહ્યું નથી.
તસવીર પરથી સ્પષ્ટ છે કે હત્યા પહેલા તેની પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ખેંચવામાં આવ્યો હતો. શબના બંને હાથ બેરિકેડથી બંધાયેલા છે. આરોપ છે કે વિરોધ સ્થળ પર હાજર કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. નિહંગ્સ પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે.