આયોધ્યાયમાં હનુમાન મંદિરમાં સૂતેલા યુવકની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં કર્યો ખુલાસો

03 July, 2022 04:50 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Online Correspondent

હત્યારા પિતરાઈ ભાઈ ની ધરપકડ કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

અયોધ્યા જિલ્લાના કુમારગંજ પોલીસ સ્ટેશન હેઠળ ભૂપુર દેવગાંવ સ્થિત હનુમાન મંદિરમાં રાત્રે સૂતા 35 વર્ષીય યુવક પંકજ શુક્લાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. થોડા કલાકો પછી જ મામલો પ્રકાશમાં આવ્યો હતો. યુવકની હત્યા તેના પિતરાઈ ભાઈ ગુલ્લુએ કરી હતી. હત્યારા પિતરાઈ ભાઈ ગુલ્લુ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે.

આ હત્યાનો ખુલાસો જિલ્લાના SSP શૈલેષ પાંડેએ કર્યો હતો. તેમણે કહ્યું કે હત્યાની આગલી રાત્રે પંકજ અને ગુલ્લુ વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ ગુલ્લુએ હત્યાને અંજામ આપ્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી છે.

હત્યાની જાણ થતા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામા કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

અમેઠી જિલ્લાના અંગૂરી પોલીસ સ્ટેશન વિસ્તારના શિવરતનગંજ ગામના રહેવાસી રાજ નારાયણ શુક્લાનો પુત્ર પંકજ શુક્લા બે દિવસ પહેલાં કુમારગંજના ભૂઆપુર દેવગાંવમાં તેના દાદી શ્યામ નારાયણ મિશ્રાના ઘરે આવ્યો હતો.

ભારે ગરમીના કારણે તે ગત મોડી રાત્રે હનુમાન મંદિરમાં સૂવા ગયો હતો જ્યાં રાત્રે તિક્ષ્ણ હથિયાર વડે તેનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી હતી. સવારે માહિતી મળતા સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરી હતી.

પોલીસ અધિકારી સત્યેન્દ્ર ભૂષણ નાથ ત્રિપાઠીએ જણાવ્યું કે “મૃતક નાનીહાલમાં રહેતો હતો. મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. સંબંધીઓને જાણ કરવામાં આવી છે.”

national news ayodhya