નરેન્દ્ર મોદી છે કોમી હુલ્લડોના ગુરુ : મમતા બૅનરજી

25 November, 2014 03:06 AM IST  | 

નરેન્દ્ર મોદી છે કોમી હુલ્લડોના ગુરુ : મમતા બૅનરજી



તૃણમૂલ કૉન્ગ્રેસનાં અધ્યક્ષ અને પશ્ચિમ બંગનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે કલકત્તામાં ગ્થ્ભ્ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો. મમતા બૅનરજીએ નરેન્દ્ર મોદીને કોમી હુલ્લડોના ગુરુ ગણાવ્યા હતા અને નવી દિલ્હીમાં શક્તિપ્રદર્શનની જાહેરાત કરી હતી.

કલકત્તાના કૉલેજ સ્ક્વેરથી એસ્પ્લેનેડ સ્ક્વેર સુધીની માર્ચ કર્યા બાદ પોતાના પક્ષના કાર્યકરોને સંબોધતાં મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘જેમના હાથ કોમી હુલ્લડોના લોહીથી રંગાયેલા છે તેમના સર્ટિફિકેટની મને જરૂર નથી. દંગાગુરુ હવે ધર્મગુરુ બની ગયા છે. જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી છે ત્યારથી દેશમાં બધી જગ્યાએ કોમી હુલ્લડો થઈ રહ્યાં છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી હવે દિલ્હીમાં પણ કોમી હુલ્લડો થયાં છે.’

નરેન્દ્ર મોદીને સેલ્ફી દંગાગુરુ ગણાવતાં મમતા બૅનરજીએ એમ પણ કહ્યું હતું કે ‘અમે રામક્રિષ્ન મિશન અને શંકરાચાર્યનું સન્માન કરીએ છીએ, પરંતુ હવે આપણી પાસે સેલ્ફી દંગાગુરુ પણ છે. અમે ભાષણ આપીએ છીએ ત્યારે કેટલીક ચૅનલોને કહેવામાં આવે છે કે એનું પ્રસારણ ન કરતા, પણ દંગાગુરુ બોલે છે ત્યારે તેમનું ભાષણ બધી જગ્યાએ જોવા મળે છે. તેમણે ગુજરાતમાં બહુ કોમી હુલ્લડો કરાવ્યાં છે, પણ પશ્ચિમ બંગને બાકાત રાખવું જોઈએ.’