મનોહર પર્રિકરના નિધન બાદ કોણ બનશે નવા મુખ્ય પ્રધાન?

18 March, 2019 07:33 AM IST  |  ગોવા

મનોહર પર્રિકરના નિધન બાદ કોણ બનશે નવા મુખ્ય પ્રધાન?

રવિવારે સાંજે મનોહર પાર્રિકરનું થયું હતું નિધન

ગઈ કાલે લાંબી માંદગી બાદ ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના નિધન બાદ સત્તાધારી પક્ષ બીજેપીએ નવા નેતાની શોધ માટેનાં ચક્રો ગતિમાન કયાર઼્ છે. પર્રિકર રાજ્યમાં બીજેપી, ગોવા ફૉર્વર્ડ પાર્ટી, એમજીપી અને અપક્ષોના ટેકાથી સરકાર ચલાવતા હતા. પર્રિકરના નિધન બાદ રાજ્યમાં વિધાનસભાની કુલ ચાર બેઠકો પર પેટાચૂંટણી થશે. પર્રિકર પોતે પણજી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ૨૩ એપ્રિલના રોજ લોકસભાની સાથે રાજ્યમાં શિરોડા, માન્ડ્રેમ અને માપુસા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થવાની છે. પર્રિકરના નિધન બાદ સત્તાધારી પક્ષે ફરી એક વાર રાજ્યપાલ સમક્ષ નવેસરથી રજૂઆત કરી પડશે. જો રાજ્યપાલને ભરોસો નહીં બેસે તો રાજ્યમાં સૌથી વધુ બેઠક ધરાવનાર કૉન્ગ્રેસને પણ સરકાર રચવા માટે આમંત્રણ આપી શકે છે.

manohar parrikar goa national news