24 September, 2020 08:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા કોવિડ-19 પૉઝિટિવ તો હતા જ પણ હવે તેમને ડેન્ગીનો રોગ પણ થયો છે, એમ અધિકારીએ કહ્યું હતું.
શ્વાસ લેવામાં મુશ્કેલી થતા તે દિલ્હીની લોક નાયર જયપ્રકાશ હૉસ્પિટલમાં તેમને એડમિટ કરવામાં આવ્યા હતા, તેમના બ્લડ પ્લેટલેટ્સ ઘટી ગયા હોવાનું ડૉક્ટર્સનું કહેવું છે.
અગાઉ કોવિડ-10 પૉઝિટિવ આવતા તે 14 સપ્ટેમ્બરથી સેલ્ફ-આઈસોલેશનમાં હતા. જે દરદીઓ વધુ ગંભીર ન હોય તેમને હોમ ક્વોરન્ટીનની છૂટ આપવામાં આવે છે. સિસોદીયાએ ટ્વીટ કરીને કહ્યું પણ હતું કે હળવો તાવ હોવાથી મે આજે કોરોના ટેસ્ટ કરાવ્યો જે પૉઝિટિવ આવ્યો છે. મે પોતાને આઈસોલેટ કર્યો છે. હાલ તાવ કે અન્ય કોઈ પ્રોબ્લેમ નથી. હું સંપૂર્ણ સ્વસ્થ છું. તમારા બધાની પ્રાર્થનાથી હું જલદી સ્વસ્થ થઈને કામ ઉપર આવી જઈશ.