01 December, 2012 08:22 AM IST |
ગુરુવારે એક ન્યુઝ ચૅનલ સાથે વાત કરતાં ઐયરે વેલમાં ધસી જતા સંસદસભ્યો જાનવરો જેવું વર્તન કરે છે એમ કહ્યું હતું. રાજ્યસભામાં કાલે વિરોધ પક્ષના સભ્યોએ આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. બાદમાં ઐયરે પોતાના નિવેદન બદલ માફી માગવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે મને મારા સ્ટેટમેન્ટ બદલ કોઈ અફસોસ નથી.
રાજ્યસભામાં વિરોધ પક્ષના સભ્યોએ ઐયરના નિવેદનના વિરોધમાં ભારે વિરોધ કર્યો હતો. સમાજવાદી પાર્ટી અને બીજેપીએ આ મુદ્દે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાર રજૂ કર્યો હતો. એ પછી કૉન્ગ્રેસના સંસદસભ્ય રાજીવ શુક્લાએ ઐયરના નિવેદન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. શુક્લાએ એવી પણ ખાતરી આપી હતી કે તેઓ માફી માગવા માટે ઐયરને વિનંતી પણ કરશે.
બીજેપી = ભારતીય જનતા પાર્ટી