30 December, 2020 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મંગળવારે ટીએમસીનાં પ્રમુખ મમતા બૅનરજીએ પદયાત્રા કાઢી અને પછી રૅલીને સંબોધી હતી. મમતાએ અહીં બીજેપીને ચૅલેન્જ આપી છે કે ‘તમે ૩૦ સીટો જીતીને બતાવો અને પછી ૨૯૪નું સપનું જુઓ. હવે બીજેપીવાળા દર અઠવાડિયે આવે છે. ફાઇવસ્ટારનું ભોજન જમે છે અને એવું બતાવે છે જાણે આદિવાસીઓ સાથે જમે છે. અમે ૩૬૫ દિવસ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની સાથે છીએ, પરંતુ બીજેપી દરરોજ ખોટો વિડિયો બનાવીને સમાજને વહેંચવાનું કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે રૅલીને સંબોધિત કરતાં પહેલાં મમતા બૅનરજીએ લગભગ પાંચ કિલોમીટર લાંબી પદયાત્રા કાઢી હતી, જેમાં હજારો લોકોએ ભાગ લીધો. આ સ્થાન પર કેટલાક સમય પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ રોડ-શો કર્યો હતો.