31 October, 2012 05:18 AM IST |
સંસદને ભંગ કરીને જનતાનો સામનો કરવાના હઝારેએ સરકારને આપેલા પડકારને બૅનરજીએ ટેકો આપ્યો હતો. મમતા બૅનરજીએ સરકાર લઘુમતીમાં આવી ગઈ હોવાનું જણાવીને કહ્યું હતું કે હવે યુપીએને સરકાર ચલાવવાનો અધિકાર નથી. હઝારેએ સોમવારે આર્મીના ભૂતપૂર્વ વડા જનરલ વી. કે. સિંહ સાથે મળીને નવેસરથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી.
યુપીએ = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ