હૈદરાબાદમાં ચારમિનાર પાસે મંદિરના બાંધકામને લઈને કોમી તનાવ સર્જાયો

13 November, 2012 06:00 AM IST  | 

હૈદરાબાદમાં ચારમિનાર પાસે મંદિરના બાંધકામને લઈને કોમી તનાવ સર્જાયો

રવિવારે તથા ગઈ કાલે મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પર ઊતરીને મંદિરના વિરોધમાં દેખાવો કર્યા હતા. અનેક જગ્યાએ પોલીસે ટિયર ગૅસના સેલ ફાયર કર્યા હતા તથા લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એમઆઇએમ)ના પાંચ ધારાસભ્યોની અટકાયત કરી હતી. ભાગ્યલક્ષ્મી નામના મંદિરના બાંધકામનો વિરોધ કરવા માટે આ ધારાસભ્યો એકત્ર થયા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. ધારાસભ્યોની અટકાયતના સમાચાર પ્રસારિત થયા બાદ મોટી સંખ્યામાં તેમના ટેકદારો રસ્તા પર ઊતરી આવ્યા હતા. કેટલાંક સ્થળે લોકોએ તોડફોડ પણ કરી હતી.