દિલ્હી સરકાર જેલમાંથી નહીં ચલાવાય : વી. કે. સક્સેના

28 March, 2024 08:16 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટાઇમ્સ નાઓ ચૅનલ દ્વારા આયોજિત સમિટમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું દિલ્હીની સરકાર જેલમાંથી ચાલશે?

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પૉલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની કસ્ટડીમાં છે અને તેમણે રાજીનામું આપ્યું નથી ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ સતત કહી રહ્યા છે કે દિલ્હીની સરકારને અરવિંદ કેજરીવાલ જેલમાંથી ચલાવશે, પરંતુ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે હું દિલ્હીના લોકોને ખાતરી આપવા માગું છું કે દિલ્હીની સરકાર જેલમાંથી નહીં ચાલે. ટાઇમ્સ નાઓ ચૅનલ દ્વારા આયોજિત સમિટમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું દિલ્હીની સરકાર જેલમાંથી ચાલશે? શું દિલ્હીના લોકો અસહાય મહેસૂસ કરશે? આ સવાલના જવાબમાં તેમણે ઉપરોક્ત ખાતરી આપી હતી. 

national news arvind kejriwal aam aadmi party