શુગરનું લેવલ વધતાં લાલુ યાદવ અસ્વસ્થ, ઍર ઍમ્બ્યુલન્સમાં દિલ્હી લાવવામાં આવ્યા

03 April, 2025 02:00 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

૨૦૨૨માં સિંગાપોરમાં લાલુ યાદવની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. દીકરી રોહિણી આચાર્યએ તેની કિડની ડોનેટ કરી હતી.

લાલુ પ્રસાદ યાદવ

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનું શુગરનું લેવલ વધી જતાં તેમની તબિયત બગડી હતી અને પટનાના ડૉક્ટરોની સલાહ બાદ તેમને ઍર ઍમ્બ્યુલન્સમાં દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. તેમને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. ૨૦૨૨માં સિંગાપોરમાં લાલુ યાદવની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. દીકરી રોહિણી આચાર્યએ તેની કિડની ડોનેટ કરી હતી.

lalu prasad yadav health tips new delhi indian medical association bhartiya janta party bjp national news news