31 March, 2026 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રૅશનની દુકાનો ઉપરાંત પેટ્રોલ-પમ્પ પર કેરોસીન ઉપલબ્ધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે રવિવારે લીધો હતો. સરકારી તેલકંપનીઓ હવે નિયુક્ત પેટ્રોલ-પમ્પ પરથી કેરોસીનનો સ્ટૉક અને વિતરણ કરી શકશે.
દરેક જિલ્લામાં, રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન મહત્તમ બે પેટ્રોલ-પમ્પ પસંદ કરશે જ્યાં આ સુવિધા પૂરી પાડવામાં આવશે. આ પેટ્રોલ-પમ્પ મહત્તમ ૫૦૦૦ લીટર કેરોસીનનો સ્ટૉક કરી શકશે.પુરવઠાને સરળ બનાવવા માટે સરકારે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) નિયમોમાં ૬૦ દિવસ માટે છૂટછાટ આપી છે જેથી તેલ સમયસર જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચી શકે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન સંઘર્ષને કારણે સરકારે આ નિર્ણય લીધો છે.
કેરોસીન-વિતરણ એજન્ટો
અને ડીલરોને લાઇસન્સ મેળવવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
ટૅન્કરોમાંથી કેરોસીન ઉતારવા (સપ્લાય કરવા) માટેના નિયમો પણ હળવા કરવામાં આવ્યા છે.
પેટ્રોલ-પમ્પ પર કેરોસીન સંગ્રહ અને વિતરણ માટે કામચલાઉ પરવાનગી આપવામાં આવી છે.