અડધી રાત્રે દર્દનાક ઘટના, ગાઝિયાબાદમાં 25માં માળેથી નીચે પડવાથી જુડવા ભાઈઓના મોત

17 October, 2021 05:33 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સિદ્ધાર્થ વિહારની પ્રતિક ગ્રાન્ડ સોસાયટીના 25 મા માળેથી પડીને 14 વર્ષના જોડિયા ભાઈઓના શંકાસ્પદ મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં શનિવારે મોડી રાત્રે એક દર્દનાક અકસ્માત થયો હતો. સિદ્ધાર્થ વિહારની પ્રતિક ગ્રાન્ડ સોસાયટીના 25 મા માળેથી પડીને 14 વર્ષના જોડિયા ભાઈઓના શંકાસ્પદ મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

ગાઝિયાબાદના સિદ્ધાર્થ વિહારની પ્રતિક ગ્રાન્ડ સોસાયટીમાં રહેતી પલાની મુદલિયા પ્રોટીમા કંપનીના એડમિન હેડ છે. તેમના પરિવારમાં જોડિયા પુત્રો સત્ય નારાયણ અને સૂર્ય નારાયણ, પુત્રી ગાયત્રી અને પત્ની રાધા મુદલિયા છે. પલાની મુદલિયા કંપનીના કામ પર 12 દિવસ માટે મુંબઈ ગયા હતા.


શનિવારે રાત્રે પત્ની અને બાળકો ઘરે હાજર હતા. એક રૂમમાં માતા અને પુત્રી ટીવી જોઈ રહ્યા હતા અને બીજામાં જોડિયા ભાઈઓ મોબાઈલ પર ગેમ રમી રહ્યા હતા. રાતના એક વાગ્યાની આસપાસ રાધા મુદલિયા બાળકોને તેમના રૂમમાં જોવા ગયા, પછી તે ત્યાં ન હતા. જ્યારે તેમણે બાલ્કનીમાંથી ડોકિયું કર્યું તો બંને 25 માં માળેથી નીચે પડી ગયા હતા. બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બાલ્કનીમાં ખુરશી અને તેના પર લાકડાનું પાટિયું મળ્યું
પરિવારના જણાવ્યા અનુસાર, બાલ્કનીમાં પહેલા ખુરશી મૂકવામાં આવી હતી અને તેના પર લાકડાનું પાટિયું મળી આવ્યું હતું. બંને જોડિયા ભાઈઓ 25 મા માળેથી કૂદી પડ્યા હતા અથવા કોઈ અકસ્માતનો ભોગ બન્યા હતા, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એસપી સિટી નિપુણ અગ્રવાલે કહ્યું કે તમામ પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. બાળકોના વર્તન વિશે વાલીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.

national news ghaziabad