18 October, 2014 10:46 AM IST |
બેંગાલુરૂ,તા 18 ઓકટોબર
તામિલનાડુના મુખ્યમંત્રી જે.જયલલિતાને શનિવારે બેંગલુરૂ જેલમાંથી બહાર આવી ગયા છે.જયલલિતાને જેલ માંથી છોડવામાં આવતા તેના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.સુપ્રિમ કોર્ટે આવક કરતા વધારે સંપત્તિના મામલે શુક્રવારે તેમના જામીન મંજૂર કર્યા હતા,પરંતુ તેમને જેલ માંથી મક્તિ નહોતી આપી.આ પહેલા વિશેષ અદાલતે અન્નાદ્રમુક પ્રમુખને આજે જેલ માંથી છોડવાનો આદેશ આપ્યો હતો.જેલમાંથી મુક્તિ મળતા હવે જયલલિતા દિવાળી પોતાના ઘરે જ ઉજવી શકશે.
કોર્ટે 66.65 કરોડ રૂપિયાની આવક કરતા વધારે સંપત્તિ મામલે અન્ય ત્રણ દોષિઓ જે જયલલતિની નજીક છે તેવા શશિકલા,પૂર્વ મુખ્યમંત્રીના દત્તક પુત્ર રહેલા બીએન સુધાકરન અને આલાવરાસીને પણ જમાનત આપી દીધી છે.મુખ્ય ન્યાયાધીશ એચએલ દત્તૂની પીઠે જયલલિતાને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.