13 August, 2019 10:19 AM IST | નાગપુર
પ્રતિકાત્મક તસવીર
આજે સવારે નાગપુરથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ગંભીર ખામી સામે આવી. જેના કારણે પાયલટે ફ્લાઈટ ટેક ઓફ ન કરવાનો નિર્ણય લીધો. પાયલટની સમયસૂચકતાના કારણે અકસ્માત ટળ્યો છે. આ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ સવાર હતા.
ઈન્ડિગો ફ્લાઈટ 6E 636 નાગપુરથી દિલ્હી જઈ રહી હતી અને તે ટેક્સીવે પર પાછી ફરી હતી. ANIના અહેવાલો પ્રમાણે પાયલટને ગંભીર ક્ષતિની જાણ થઈ હતી. જેથી તેમણે આ નિર્ણય લીધો. હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે.