કાશ્મીરમાં ભારતની સૌથી લાંબી રેલ ટનલ

15 October, 2011 07:30 PM IST  | 

કાશ્મીરમાં ભારતની સૌથી લાંબી રેલ ટનલ

 

 

ટનલ બાંધવામાં છ વર્ષનો સમય લાગ્યો છે. આ ટનલની પહોળાઈ ૮.૪૦૫ મીટર છે અને ઊંચાઈ ૭.૩૯૩ મીટર છે. હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કૉર્પોરેશન (એચસીસી) દ્વારા એનું બાંધકામ કરવામાં આવ્યું છે.

આ ટનલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે પ્રોજેક્ટના ભાગરૂપે બનાવવામાં આવી છે. હિમાલયની આસપાસનો વિસ્તાર હોવાથી પથ્થર તોડીને ટનલ બનાવવામાં એચસીસીએ ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હતો એટલે તેમણે ટનલ બનાવવા માટે ન્યુ ઑસ્ટ્રેલિયન ટનલિંગ મેથડોલૉજી (એનએટીએમ) અપનાવી હતી. શિયાળામાં અહીં ભારે વરસાદ પડતો હોવાથી તથા તાપમાન માઇનસ ૧૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું રહેતું હોવાથી અહીં કામ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

શું હેતુ છે?

કાશ્મીરમાં કાઝીગુંડથી બનીહાલ વચ્ચેનું ૧૧ કિલોમીટરનું અંતર ઘટાડવા માટે તથા બારામુલ્લા સુધીની યાત્રા સરળ બનાવવા માટે ભારતની સૌથી મોટી ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે.