ભારતના મુસલમાનો દુનિયામાં સૌથી સંતુષ્ટ : મોહન ભાગવત

11 October, 2020 02:55 PM IST  |  New Delhi | Agencies

ભારતના મુસલમાનો દુનિયામાં સૌથી સંતુષ્ટ : મોહન ભાગવત

મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર-સંઘચાલક મોહન ભાગવતે મુસલમાનોને લઈને ખોલીને વાત કરી છે અને કહ્યું છે કે ભારતના મુસલમાનો દુનિયામાં સૌથી સંતુષ્ટ મુસલમાનો છે. એક ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે પાકિસ્તાને બીજા ધર્મોને અધિકાર નથી આપ્યો. તેની સાથે જ તેણે રામમંદિર ઉપર સવાલમાં કહ્યું કે મંદિર રાષ્ટ્રીય મૂલ્યો અને ચરિત્રનું પ્રતીક હોય છે.
મોહન ભાગવતે કહ્યું છે કે ભારતીય મુસલમાન દુનિયામાં સૌથી વધારે સંતુષ્ટ છે. જ્યારે ભારતીયતાની વાત આવે છે તો તમામ ધર્મોના લોકો એકસાથે ઊભા રહી જાય છે.
આરએસએસ પ્રમુખે કહ્યું કે ભારતથી ઉલટું પાકિસ્તાનમાં ક્યારેય બીજા ધર્મોના અનુયાયીઓને અધિકાર આપવામાં આવ્યો નથી અને મુસલમાનો માટે અલગ દેશની જેમ બનાવી દીધો.

national news mohan bhagwat