સૈન્યમાં ૪૨ હજારથી વધારે અધિકારીઓ ને જવાનોની અછત : કેન્દ્રનો સ્વીકાર

18 December, 2012 06:10 AM IST  | 

સૈન્યમાં ૪૨ હજારથી વધારે અધિકારીઓ ને જવાનોની અછત : કેન્દ્રનો સ્વીકાર

સંરક્ષણપ્રધાન એ. કે. એન્ટનીએ સૈન્યમાં જવાનોની અછતનો સ્વીકાર કર્યો હતો. ગઈ કાલે રાજ્યસભામાં બીજેપીના સભ્ય શાંતાકુમારે આ હકીકતને લઈને ચિંતા વ્યક્ત કરતાં તમામ જગ્યાઓ તત્કાળ ભરવા સરકારને અપીલ કરી હતી. થોડા સમય પહેલાં આર્મીના ભૂતપૂર્વ વડા વી. કે. સિંહે વડા પ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને સૈન્યમાં શસ્ત્રો તથા અન્ય ઉપકરણોની તીવ્ર અછતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે ખાલી પડેલી જગ્યાઓ ભરવા પણ વિનંતી કરી હતી.