મોદીનું સ્વતંત્રતા દિવસનું ભાષણ નાગરિકો લખશે

03 August, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાને ભાષણ કરવા માટે લોકો પાસેથી સૂચનો મગાવ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

૧૫ ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા હોય છે. આ વખતે તેઓ સતત બારમી વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરશે. આ વર્ષે વડા પ્રધાને તેમના ભાષણમાં મુદ્દાઓનો સમાવેશ કરવા માટે જનતા પાસેથી સૂચનો મગાવ્યાં છે. આમ આ વખતે નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી જે ભાષણ આપશે એ ભારતના લોકો દ્વારા લખવામાં આવશે.

આ મુદ્દે નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું હતું કે ‘જેમ-જેમ આપણે આ વર્ષના સ્વતંત્રતા-દિવસ નજીક આવી રહ્યા છીએ, હું મારા સાથી ભારતીયો પાસેથી સાંભળવા આતુર છું. આ વર્ષના સ્વતંત્રતા દિવસના ભાષણમાં તમે કયા વિષયો અથવા વિચારો પ્રતિબિંબિત જોવા માગો છો?’

દેશના લોકો MyGov અને NaMo ઍપની લિન્ક પર તેમના વિચારો શૅર કરી શકશે. ૧૨ ઑગસ્ટ સુધી આ લિન્ક દ્વારા વિચારો શૅર કરી શકાશે. આ લિન્ક 30 જુલાઈથી શરૂ કરવામાં આવી છે.

narendra modi independence day india national news news