હું નહીં લગાવું કોરોના વૅક્સિન, બીજેપી પર મને ભરોસો નથીઃ અખિલેશ યાદવ

03 January, 2021 01:31 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

હું નહીં લગાવું કોરોના વૅક્સિન, બીજેપી પર મને ભરોસો નથીઃ અખિલેશ યાદવ

અખિલેશ યાદવ

દેશભરમાં કોરોના વૅક્સિન મૂકવા માટેના અભિયાનની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું છે. અખિલેશનું કહેવું છે કે હાલમાં હું કોરોના વૅક્સિન નહીં મુકાઉં કારણકે મને બીજેપી પર ભરોસો નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે જે સરકાર તાળી અને થાળી વગાડાવતી હતી તે સરકાર આજે વેક્સિનેશન માટે આટલી મોટી ચેન કેમ બનાવી રહી છે.

coronavirus covid19 national news akhilesh yadav