વસુંધરા રાજેને જાડાં કહેનારા શરદ યાદવની ટીકા

27 December, 2018 12:11 PM IST  | 

વસુંધરા રાજેને જાડાં કહેનારા શરદ યાદવની ટીકા

જનતા દલના ભૂતપૂર્વ નેતા શરદ યાદવ

જનતા દલ (યુનાઇટેડ)ના ભૂતપૂર્વ નેતા શરદ યાદવે બુધવારે ચૂંટણીપ્રચારના અંતિમ દિવસે અલવરમાં યોજાયેલી રૅલીમાં રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના શરીર વિશે અપમાનજનક શબ્દોમાં ટીકા કરી હતી. તેમની ટીકાથી અપમાનિત થયાની ભાવના અનુભવતાં વસુંધરા રાજેએ ઇલેક્શન કમિશને તેમની ટિપ્પણી ધ્યાનમાં લેવી જોઈએ એવી માગણી કરી હતી.

રૅલી દરમ્યાન વસુંધરા રાજે પર અંગત ટિપ્પણી કરતાં શરદ યાદવે વસુંધરા રાજેને જાડાં ગણાવી લોકોને તેમને આરામ આપવા જણાવ્યું હતું. વસુંધરા રાજેએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘મને ઘણું જ અપમાનજનક લાગી રહ્યું છે. શરદ યાદવના મોઢે આવી ટિપ્પણી સાંભળીને મને ઘણો આઘાત લાગ્યો છે. તેમના જેવા વરિષ્ઠ નેતા પાસેથી મેં આવી આશા નહોતી રાખી.’

national news sharad yadav