અમર સિંહ ટીવી પર આવે કે તરત જ હું ટીવી બંધ કરી દઉં છું, બાળકોને પણ નથી જોવા દેતી

04 March, 2017 03:56 AM IST  | 

અમર સિંહ ટીવી પર આવે કે તરત જ હું ટીવી બંધ કરી દઉં છું, બાળકોને પણ નથી જોવા દેતી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટીમાંથી બરખાસ્ત કરવામાં આવેલા નેતા અમર સિંહ વચ્ચે સંબંધો તંગ છે એની સૌકોઈને જાણ છે. અખિલેશ ઘણી વાર અંકલ અમર સિંહને લઈને કરવામાં આવેલા પ્રશ્નોને જૂની વાત કહીને ટાળી દે છે, પરંતુ હવે સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય અને અખિલેશનાં પત્ની ડિમ્પલ યાદવે તેમનો પરિવાર અમર સિંહને કેટલી હદ સુધી નાપસંદ કરે છે એની સ્પષ્ટતા કરી છે. એક ટીવી-ચૅનલ સાથે વાતચીતમાં ડિમ્પલે કહ્યું હતું કે જ્યારે અમર સિંહ ટીવી પર દેખાય છે તો હું ટીવી બંધ કરી દઉં છું.

ડિમ્પલે આ નિવેદન ત્યારે આપ્યું હતું જ્યારે તેમને અમર સિંહના એક નિવેદન વિશે પ્રતિક્રિયા આપવા જણાવવામાં આવ્યું હતું.

અમર સિંહે ગુરુવારે કહ્યું હતું કે મુલાયમ સિંહે મને કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં BJPની સરકાર બનશે. આ નિવેદન વિશે ડિમ્પલને પ્રશ્ન કરતાં ડિમ્પલના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા. ડિમ્પલે જવાબ આપ્યો હતો કે ‘હું એવા લોકોની વાતો સાંભળતી જ નથી. અમર સિંહ જો ટીવી પર દેખાય તો હું ટીવી બંધ કરી દઉં છું. હું બાળકોને પણ તેમની વાતો સાંભળવા નથી દેતી.’

 સમાજવાદી પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવેલા અમર સિંહ સતત અખિલેશ સામે આરોપો મૂકતા રહે છે. થોડા દિવસો પૂર્વે અમર સિંહે દાવો કર્યો હતો કે મુલાયમ  સિંહ યાદવ કુટુંબનો ઝઘડો માત્ર એક નાટક હતું અને એની ãસ્ક્રપ્ટ ખુદ મુલાયમ સિંહે લખી હતી. અમર સિંહ ઘણી વાર BJP અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે. અમર સિંહે ઉત્તર પ્રદેશમાં BJPની જીત અને અખિલેશની હાર થવાની આગાહી કરી છે.