કોઈ મને નુકસાન સમજાવે તો નવા કૃષિ કાયદા પાછા ખેંચવા તૈયાર છું : મોદી

21 January, 2021 02:14 PM IST  |  New Delhi | Agencies

કોઈ મને નુકસાન સમજાવે તો નવા કૃષિ કાયદા પાછા ખેંચવા તૈયાર છું : મોદી

તસવીર સૌજન્ય મિડ-ડે

પીએમ મોદીએ ચર્ચ પ્રતિનિધિમંડળના સભ્યો સાથે મંગળવારે મુલાકાત કરી હતી અને આ દરમિયાન તેમણે કહ્યું હતું કે નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે, પણ આ કાયદાની ટીકા કરનારાઓએ કાયદાનો અભ્યાસ કર્યો જ નથી. જો મને કોઈ નવા કાયદાથી થનારા નુકસાન સમજાવી દે તો હું કાયદા પાછા ખેંચવા પર વિચાર કરી શકું છું.
દેશનાં વિવિધ ચર્ચના ટોચના ધર્મગુરુઓના પ્રતિનિધિમંડળે પીએમ મોદીને નવા કૃષિ કાયદા પાછા ખેંચવા માટે અપીલ કરી હતી, જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ‘ત્રણે કાયદા ખેડૂતોના હિતમાં છે. મારી ચિંતા એ છે કે કોઈ કાયદા અંગે અભ્યાસ નથી કરી રહ્યું અને માત્ર ખેડૂત આંદોલન અંગે જ વાંચી રહ્યું છે. લોકોએ બિલનો અભ્યાસ કરવાની જરૂર છે. જો કોઈ મને એનાથી થનારા નુકસાન અંગે જણાવે તો હું એના પર ફરી વિચારણા કરીશ.’

national news narendra modi