હું જ્યોતિષી નથી કે વિદેશમાં કેટલું કાળું નાણું છે એની મને ખબર હોય : મનમોહન સિંહ

05 November, 2011 07:46 PM IST  | 

હું જ્યોતિષી નથી કે વિદેશમાં કેટલું કાળું નાણું છે એની મને ખબર હોય : મનમોહન સિંહ



આપણે એવી સ્થિતિમાં જીવવું પડે છે જ્યાં બધું આપણને ગમતું નથી થતું એમ જણાવતાં મનમોહન સિંહે વધુમાં કહ્યું હતું કે ‘આપણે સાર્વભૌમ રાષ્ટ્રો સાથે કામ પાર પાડી રહ્યા છીએ. આ સાર્વભૌમ રાષ્ટ્રો એમનો કાનૂન જેટલી છૂટ આપે એટલો જ સહકાર આપણને આપી શકે છે. આ દિશામાં કામ થઈ રહ્યું છે. મને અંદાજ નથી કે વિદેશી બૅન્કોમાં કેટલું કાળું ધન છુપાવવામાં આવ્યું છે.’

જી-૨૦ રાષ્ટ્રોએ વિદેશી બૅન્કોમાં બ્લૅક મની છુપાવી કરચોરી કરતા લોકોને પકડી પાડવા માટે સહકાર સાધવા કરાર કર્યા છે.