12 August, 2012 09:18 AM IST |
મૃતકોમાં ૧૮ મહિલા અને બે બાળકોનો પણ સમાવેશ છે. ચંબા ગામથી દુલેરા જઈ રહી હતી ત્યારે રાજેરા ગામ પાસે બસનું ટાયર ફાટતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસ ૨૫૦ ફૂટ ઊંડી ખીણમાં ગબડી ગઈ હતી. બસની છત પર પણ અનેક પૅસેન્જરો બેઠા હતા.
અકસ્માતના પગલે ડ્રાઇવર સહિત ૩૯ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ૧૩ પૅસેન્જરો હૉસ્પિટલ લઈ જવાતા હતા ત્યારે મૃત્યુ પામ્યા હતા. ચંબાના ડેપ્યુટી કમિશનર સુનીલ ચૌધરીએ કહ્યું હતું કે ઈજાગ્રસ્તોમાં ૧૨ની હાલત અત્યંત ગંભીર છે એથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. રાજ્ય સરકારે માર્યા ગયેલા લોકોના પરિવારજનોને એક લાખ રૂપિયા તથા ગંભીર રીતે ઘવાયેલાઓને ૧૦,૦૦૦ રૂપિયાનું વળતર જાહેર કર્યું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન પ્રેમકુમાર ધુમલે અકસ્માત બદલ આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.