આરોપી બાબા રામરહીમ એક દિવસના પરોલ પર બહાર આવ્યાનો ખુલાસો

08 November, 2020 01:07 PM IST  |  Chandigarh | Agency

આરોપી બાબા રામરહીમ એક દિવસના પરોલ પર બહાર આવ્યાનો ખુલાસો

ગુરમીત રામરહીમ

દુષ્કર્મ અને હત્યા કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામરહીમને પાછલા દિવસોમાં એક દિવસના પરોલ મળ્યા હતા. હરિયાણામાં સીએમ મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વવાળી બીજેપી-જેજેપીની ગઠબંધન સરકારે ૨૪ ઑક્ટોબરે રામરહીમને પરોલ મળ્યા હતા.

ડેરાપ્રમુખ રેપ અને હત્યા કેસમાં દોષી ઠર્યા બાદથી રોહતકની જેલમાં બંધ છે. સૂત્રોએ કહ્યું કે રામરહીમને પોતાની બીમાર માતાને મળવા માટે એક દિવસના પરોલ મળ્યા હતા. તેઓ ગુરુગ્રામની એક હૉસ્પિટલમાં દાખલ છે. ડેરાપ્રમુખને સુનારિયા જેલથી ગુરુગ્રામ હૉસ્પિટલ સુધી ભારે સુરક્ષાની વચ્ચે લઈ જવાયા હતા.

રોહતક એસપી રાહુલ શર્માએ પુષ્ટિ કરતાં કહ્યું કે અમને જેલ સુપરિન્ટેન્ડન્ટ પાસેથી રામરહીમના ગુરુગ્રામ પ્રવાસ માટે સુરક્ષાવ્યવસ્થાનું નિવેદન મળતું હતું. અમે ૨૪ ઑક્ટોબરે સવારથી લઈ સાંજ પડવા સુધી સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી. બધું જ શાંતિથી થયું.

chandigarh gurmeet ram rahim singh Crime News gurugram national news