24 October, 2012 03:05 AM IST |
આરએસએસના નેતાઓ છેલ્લા કેટલાક દિવસોથી આ મુદ્દે બીજેપીના નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. ખાસ કરીને આરએસએસના નેતા ભૈયાજી જોશી અને સુરેશ સોનીએ બીજેપીના નેતાઓ જેવા કે લાલકૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, મુરલી મનોહર જોશી તથા અરુણ જેટલી સાથે ચર્ચા કરી હતી. ગયા રવિવારે નરેન્દ્ર મોદીએ નાગપુરમાં આરએસએસના વડા મોહન ભાગવતની મુલાકાત લીધી હતી.
એનડીએના મહત્વના સાથીપક્ષ જેડીયુએ તો અગાઉથી જ સ્પષ્ટ કરેલું છે કે એ મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ક્યારેય નહીં સ્વીકારે. જેડીયુના પ્રમુખ શરદ યાદવે અગાઉ મોદી નહીં પણ અડવાણીને વડા પ્રધાનપદ માટે સૌથી લાયક ઉમેદવાર ગણાવ્યા હતા.