મફતમાં વૅક્સિનનું વચન આચારસંહિતાનો ભંગ નથી: ચૂંટણી પંચ

01 November, 2020 11:22 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મફતમાં વૅક્સિનનું વચન આચારસંહિતાનો ભંગ નથી: ચૂંટણી પંચ

પ્રતીકાત્મક તસવીર

બીજેપીએ બિહાર વિધાનસભાની ચૂંટણીના ઘોષણાપત્રમાં મફત કોરોના વૅક્સિનનું આપેલું વચન ચૂંટણીની આચારસંહિતાનો ભંગ નહીં હોવાનું ચૂંટણી પંચે ગઈ કાલે જણાવ્યું હતું. આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટિવિસ્ટ સાકેત ગોખલેની ફરિયાદના અનુસંધાનમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને કોરોનાની રસી વિનામૂલ્ય ઉપલબ્ધ કરાવવાનું વચન આપવાથી આચારસંહિતાની કોઈ પણ જોગવાઈનો ભંગ થતો નથી. સાકેત ગોખલેએ સરકારે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો દાવો તેમની ફરિયાદમાં કર્યો હતો. 

coronavirus covid19 national news election commission of india