મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ આર અંતુલેનું નિધન

02 December, 2014 07:34 AM IST  | 

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ આર અંતુલેનું નિધન




મુંબઈ : તા, 02 ડિસેમ્બર

અંતુલેને ઘણા લાંબા સમયથી કિડનીની બીમારી હતી. જેની સારવાર અર્થે તેમને ગત મહીને મુંબઈની બીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

અંતુલેના જમાઈ મુશ્તાક અંતુલેએ સત્તાવાર જાહેરાત કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્રના તટીય કોંકણમાંથી આવતા વરિષ્ઠ કોંગ્રેસી નેતાનું આજે મંગળવારે સવારે લગભગ 10 વાગ્યે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આવતી કાલે રાજ્યના રાઉગઢ જીલ્લામાં આવેલા તેમના પૌતૃક ગામ આમ્બેતમાં કરવામાં આવશે.

એ આર અંતુલે વર્ષ 2004માં રચાયેલી યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી પદે રહી ચુક્યા છે. આ અગાઉ તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતાં. પોતાની રાજકીય કારકિર્દીમાં ઘણીવાર વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ તેઓ મુશ્કેલીમાં પણ મુકાઈ ચુક્યા છે. મુંબઈ પરના 26/11ના ત્રાસવાદી હુમલા દરમિયાન તેમના નિવેદનને લઈને ભારે વિવાદ ઉભો થયો હતો.