જોધપુરમાં ટ્રક-બોલેરો વચ્ચે જીવલેણ અકસ્માત:એક જ પરિવારના ૧૧ લોકોનાં મોત

15 March, 2020 11:38 AM IST  |  Jodhpur

જોધપુરમાં ટ્રક-બોલેરો વચ્ચે જીવલેણ અકસ્માત:એક જ પરિવારના ૧૧ લોકોનાં મોત

તસવીર સૌજન્ય : PTI

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં શનિવારે સવારે એક ભયાનક માર્ગ-અકસ્માત થયો હતો. ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત થતાં એક જ પરિવારના ૧૧ લોકોનાં મોત થયાં છે. ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પરિવાર નવદંપતીને બાલોતરાથી રામદેવરા દર્શન માટે લઈ જઈ રહ્યો હતો. તેમનાં લગ્ન ૨૭ ફેબ્રુઆરીએ થયાં હતાં. આ બનાવ શેરગઢ વિસ્તારમાં બન્યો હતો.

મૃતકોમાં છ મહિલા, ચાર પુરુષ અને એક બાળકનો સમાવેશ છે. તમામે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ઈજાગ્રસ્તો જોધપુરની હૉસ્પિટલમાં ઍડ્મિટ છે.

પોલીસે જણાવ્યું કે અકસ્માત સવારે ૯ વાગ્યે સોઇતરામાં ગંવારિયા હોટેલ પાસે થયો છે. શેરગઢ પોલીસે ક્રેનની મદદથી ટ્રકને હટાવી હતી અને ત્યાર પછી બોલેરોમાં રહેલા લોકોને બહાર કાઢ્યા હતા.

jodhpur national news