આસામનાં ચાર મતદાન-મથકોમાં ફરી મતદાનનો ચૂંટણીપંચનો આદેશ

11 April, 2021 11:59 AM IST  |  Guwahati | Agency

તમામ અહેવાલો તથા અન્ય સંજોગોને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે ચાર મતદાન-મથકોમાં ૨૦ એપ્રિલે ફરી મતદાન યોજવાનો આદેશ આપ્યો છે. 

પ્રતીકાત્મક તસવીર

દ​ક્ષિણ આસામના ત્રણ મતવિસ્તારોનાં ચાર મતદાન-મથકોમાં ફરી મતદાન યોજવાનો આદેશ ચૂંટણીપંચે આપ્યો હતો. એ મતદાન-મથકોમાં ગઈ ૧ એપ્રિલે બીજા તબક્કામાં સર્વસામાન્ય રીતે મતદાન યોજાયું હતું. ચૂંટણીપંચના સચિવ અજયકુમાર વર્માએ આસામના મુખ્ય ચૂંટણી અધિકારી નીતિન ખડેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તમામ અહેવાલો તથા અન્ય સંજોગોને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે ચાર મતદાન-મથકોમાં ૨૦ એપ્રિલે ફરી મતદાન યોજવાનો આદેશ આપ્યો છે. 

national news guwahati