પેશાવરના હત્યાકાંડથી દિલીપકુમાર વ્યથિત

19 December, 2014 07:01 AM IST  | 

પેશાવરના હત્યાકાંડથી દિલીપકુમાર વ્યથિત


દિલીપકુમારની લાગણીઓ જણાવતાં તેમનાં પત્ની સાયરાબાનુએ કહ્યું હતું કે ‘પેશાવરની સ્કૂલમાં આચરવામાં આવેલા રાક્ષસી કૃત્યથી મને ખૂબ આઘાત લાગ્યો છે. ભારતના ભાગલા નહોતી પડ્યા એ વખતમાં એ રળિયામણા શહેર પેશાવરમાં મારો જન્મ થયો હતો. એ શહેરની ઘણી વિશિષ્ટ યાદો મારા મનમાં હજીયે તાજી છે.’

સાયરાબાનુએ દિલીપસાબની લાગણીઓ જણાવતાં કહ્યું હતું કે ‘પેશાવરમાં તાલિબાનના ટેરરિસ્ટોએ સ્કૂલનાં બાળકો સાથે જે કર્યું એ જઘન્ય પાપ છે અને ક્યારેય માફ કરી શકાય એમ નથી. એ હત્યાકાંડથી હું જખમી થયો છું. એ લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો નથી. તાજેતરનાં વર્ષોમાં કોઈ પણ દેશે અનુભવેલા સૌથી ઘૃણાસ્પદ એવા આ અપરાધમાં જે પેરન્ટ્સે તેમનાં દીકરા અને દીકરીઓ ગુમાવ્યાં તેમના માટે મારું હૈયું વલોવાય છે.

તેમને સાંત્વન આપવા જવાની ઇચ્છા થાય છે.’ હજીયે પેશાવરમાં યુસુફસાબના પૂર્વજોનું ઘર છે.