દિગ્ગીરાજાએ માર્યો ઘા

21 October, 2012 05:12 AM IST  | 

દિગ્ગીરાજાએ માર્યો ઘા



કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી દિગ્વિજય સિંહે આઇએસીના અરવિંદ કેજરીવાલ સામે અટૅક કરીને તેમની બિનસરકારી સંસ્થાને મળતા વિદેશી ફન્ડિંગ સામે આશંકા વ્યક્ત કરી છે અને સાથોસાથ સવાલ કર્યો છે કે તેઓ જ્યાં બીજેપીનું શાસન છે એવાં રાજ્યોમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિશે ક્યારેય કોઈ સવાલ કેમ નથી ઉઠાવતા?

દિગ્વિજય સિંહે એક દિવસ પહેલાં અરવિંદ કેજરીવાલને એક કાગળ લખ્યો હતો જેમાં તેમને હિટલર જેવી માનસિકતા ધરાવતા સત્તાના લાલસી અને મહત્વાકાંક્ષી ગણાવ્યા હતા અને હવે ગઈ કાલે ૨૭ સવાલોનું લિસ્ટ મોકલાવીને તેમને આ સવાલોનો તેઓ બીજા પાસેથી જેવી પ્રામાણિકતા અને પારદર્શકતાની અપેક્ષા રાખે છે એવી જ પ્રામાણિકતા અને પારદર્શકતાથી જવાબ આપવાની ડિમાન્ડ કરી છે. દિગ્વિજિય સિંહે હવે અરવિંદ કેજરીવાલ પાસે જવાબ માગતાં કહ્યું હતું કે તમારી બિનસરકારી સંસ્થાને જે વ્યક્તિગત કે પછી કૉર્પોરેટનું દાન મળે છે એની વિગતો એની વેબસાઇટ પર કેમ નથી?

આઇએસી = ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન