22 May, 2022 06:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કૉમ્પ્લેક્સની અંદરથી ‘શિવલિંગ’ મળ્યું હોવાના દાવા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતી એક સોશ્યલ મીડિયા પોસ્ટ બદલ શુક્રવારે રાત્રે દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કૉલેજના હિસ્ટરીના એક પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી હતી. નૉર્થ દિલ્હીના સાઇબર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા અસોસિએટ પ્રોફેસર રતન લાલની ધરપકડ કરવામાં આવી હતી. અદાલતે ગઈ કાલે તેના જામીન મંજૂર કર્યા હતા.