દિલ્હી ઍરપોર્ટની સ્થિતિ ૭થી ૧૦ દિવસમાં સામાન્ય થશે : સિંધિયા

15 December, 2022 10:19 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઘણા લોકોએ એવી ફરિયાદ કરી છે કે લાંબી લાઇનોને કારણે તેમની ફ્લાઇટ પણ છૂટી રહી છે

સિવિલ એવિયેશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા

દિલ્હી : દિલ્હીના ઇન્દિરા ગાંધી ઍરપોર્ટ પર ઘણી ભીડ જોવા મળી રહી છે. ઘણા લોકોએ એવી ફરિયાદ કરી છે કે લાંબી લાઇનોને કારણે તેમની ફ્લાઇટ પણ છૂટી રહી છે. આ મામલે સિવિલ એવિયેશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે ‘દિલ્હી ઍરપોર્ટ જોવા મળેલી ભીડ અભૂતપૂર્વ હતી હતી તેમ જ આ સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેને કારણે ભારે ભીડ થઈ છે. કોઈએ પણ શિયાળાની છુટ્ટીઓ માટે આટલી બધી ભીડનો અંદાજો લગાવ્યો નહોતો. મેં આ મામલે ઍરપોર્ટના સંચાલકો સાથે બેઠક કરી છે. આગામી સાતથી દસ દિવસમાં દિલ્હી ઍરપોર્ટની ભીડ સામાન્ય થશે.’ દરમ્યાન દિલ્હી ઍરપોર્ટના સ્ટાફે કહ્યું હતું કે ઍરપોર્ટ પર હવે લાગનારા સમયમાં ઘણો સુધારો થયો છે.

national news delhi airport delhi news new delhi jyotiraditya scindia