ભાજપના આ નેતાનું કોરોનાથી નિધન

15 September, 2020 09:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાજપના આ નેતાનું કોરોનાથી નિધન

દિપક તિવારી

ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દરરોજ કોવિડ-19 કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ભાજપ સહિત અન્ય વિરોધી પક્ષના ઘણા નેતાઓ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. હાલમાં જ અંબેડકરનગરના ભાજપ નેતા અને જીલ્લા પંચાયત સભ્ય દિપક તિવારીનું કોવિડ-19 બિમારીથી નિધન થયું છે.

36 વર્ષિય દિપક તિવારી બે સપ્ટેમ્બરના રોજ ટેસ્ટ કરાવ્યા હતા અને કોવિડ-19 પૉઝિટિવ આવતા સદદપુરની રાજકીય મેડિકલ કોલેજમાં એડમિટ થયા હતા. જોકે મંગળવારે તે કોરોના સંક્રમણ સામે હારી ગયા હતા. દિપક ભીટી તાલુકાના પહુંતી ગામના નિવાસી હતા. તેમના કુટુંબમાં પત્ની અને બે બાળકો છે. જીલ્લાના ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો હતો.

અંબેડકરનગરમાં કોરોનાને લીધે અત્યારસુધીમાં 24 મૃત્યુ થયા છે.

national news coronavirus covid19