11 October, 2012 06:12 AM IST |
સલમાન ખુરશીદ દ્વારા ચલાવવામાં આવતા ઝાકિર હુસેન મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સરકારી ફન્ડ મેળવવા માટે શારીરિક રીતે અક્ષમ લોકોની નકલી સહીઓ મેળવવામાં આવી હોવાનો ખુલાસો એક પ્રાઇવેટ ટીવી-ચૅનલના સ્ટિંગ ઑપરેશનમાં થયો હતો. ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના સભ્ય સંજય સિંહે એવો આક્ષેપ કર્યો હતો કે સરકારી ફન્ડની વહેંચણી શારીરિક રીતે અક્ષમ લોકો વચ્ચે કરવાને બદલે બનાવટી કૅમ્પ અને સહીઓ દ્વારા અધિકારીઓ વચ્ચે કરી દેવામાં આવી હતી. ખુરશીદનાં પત્ની લુઇસ ખુરશીદ આ સંસ્થાનાં પ્રોજેક્ટ ડિરેક્ટર છે. તેમણે તમામ આક્ષેપો નકાર્યા હતા.