28 January, 2021 12:36 PM IST | Mumbai | Agencies
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય જાગરણ
તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જે. જયલલિતાનાં નિકટનાં સાથી અને ભ્રષ્ટાચારના આરોપસર સજા પામેલાં વી. શશીકલાના જેલવાસની ચાર વર્ષની મુદત ગઈ કાલે પૂરી થઈ હતી, પરંતુ કોરોના ઇન્ફેક્શનને કારણે તેમણે જેલવાસ પછી તરત હૉસ્પિટલવાસ ભોગવવાનો રહેશે. શશીકલાના કોરોના ટેસ્ટનો રિપોર્ટ ગઈ ૨૦ જાન્યુઆરીએ પૉઝિટિવ આવ્યો હતો. ૨૦ જાન્યુઆરીએ તેમને બાઉરિંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યારપછી તેમને વિક્ટોરિયા હૉસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.