03 December, 2020 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 35,551 પૉઝિટિવ કેસ સામે આવ્યા છે, જેથી કોરોના વાયરસનો કુલ આંકડો 95.3 લાખ પહોંચ્યો છે. તેમ જ છેલ્લા 24 કલાકમાં 526 દર્દીઓએ આ મહામારીથી પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ કુલ મૃત્યુઆંક 1,38,648 થયો છે.
આઈસીએમઆરે બુધવારે 11,11,698 સેમ્પલ ટેસ્ટ કર્યા હતા. મહારાષ્ટ્રમાં 5600 નવા પૉઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમ જ 5027 દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં કુલ કેસ 16,95,208 પહોંચ્યો છે, જ્યારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 88,537એ પહોંચી છે. આમ રાજ્યમાં રિકવરી રેટ 92.52 ટકા છે.
મુંબઈમાં કુલ કેસની સંખ્યા 2,82,818 થઈ છે, જેમાંથી 2,56,179 સાજા થયા છે, 10,913 લોકોનું મૃત્યુ થયુ છે, એક્ટિવ કેસની સંખ્યા 14,912 છે. થાણેમાં અત્યારસુધીમાં 5329 લોકોએ જીવ ગુમાવ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા 15,457 છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં માસ્ક ન પહેરનારની સજાનો મુદ્દો છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1512 કેસો નોંધાયા છે. જ્યારે 14 દર્દીઓના મૃત્યુ થયા છે. તેમ જ 1570 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4018 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 212769 પર પહોંચ્યો છે.