04 April, 2020 01:36 PM IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
છેલ્લા ચોવીસ કલાકમાં ભારત દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના સૌથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિત કેસોનો આંકડો 3,000 ને આંબી ગયો છે. અત્યાર સુધીમાં 68 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. પોઝેટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. કોરોનાના ડરથી અમૃતસરમાં એક દંપતીએ આત્મહત્યા કરી લીધી છે અને ડૉક્ટરોએ તેમના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
અમૃતસરના બાબા બકાલના સઢીયાલા ગામમાં રહેતા ગુરજિંદર અને તેમની પત્ની બલવિન્દર કૌરે શુક્રવારે આત્મહત્યા કરી હતી. બન્ને જણે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, 'અમે કોરોનાના સંક્રમણે કારણે મરવાનથી માંગતા. અમને ચિંતા છે.' પરિવારજનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ લઈ ગયા ત્યારે ડૉક્ટરોએ ઈન્કાર કરતા તેઓએ મૃતદેહને લઈને ઘરે પાછા ફરવું પડયું હતું. બન્નેએ ઝેરી દવા પી ને આત્મહત્યા કરી હોવાના અહેવાલ છે.
આ પહેલા ગત બુધવારે રાત્રે ઉત્તર પ્રદેશના સહારનપુર જીલ્લામાં 38 વર્ષીય આદેશ સૈનીએ કોરોનાના ડરથી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.