29 October, 2020 01:07 PM IST | Mumbai | Agencies
1 દિવસના ઘટાડા બાદ ફરી વધ્યા કોરોના કેસ,કુલ આંક ૮૦ લાખની નજીક પહોંચ્યો
મંગળવારે કોરોનાના નવા ૪૩,૮૯૩ કેસ નોંધાયા હતા, જ્યારે ૫૦૮ લોકોનાં મોત નીપજવા સાથે કુલ મૃત્યુ આંક ૧,૨૦,૦૧૦ થયો હતો. સોમવારે ત્રણ મહિના બાદ નવા કેસનો આંક ઘટીને ૩૬,૪૬૯ પહોંચ્યો હતો.
અત્યાર સુધીમાં કુલ ૭૨,૫૯,૫૦૯ લોકો કોરોનામાંથી મુક્ત થયા હતા, જેને પગલે દેશનો રિકવરી રેટ ૯૦.૮૫ ટકા નોંધાયો હતો, જ્યારે મૃત્યુ દર ૧.૫૦ ટકા થયો હતો.
કોરોના વાઇરસના ઍક્ટિવ કેસનો આંક સળંગ છઠ્ઠા દિવસે સાત લાખ કરતાં નીચે રહ્યો હતો. અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ ૭૯,૯૦,૩૨૨ દર્દીઓ નોંધાયા છે.