કૉકરોચ જનતા પાર્ટીના સમર્થકે ખરેખર કહ્યું લાકડીઓ લાવો, ભારતને નેપાળ બનાવવું છે?

04 June, 2026 04:23 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વાયરલ વીડિયોમાં, અમિત કુમાર સિંહ કહે છે "જો અભિજીત દિપકને ઇમિગ્રેશન દ્વારા રોકવામાં આવશે, તો ઍરપોર્ટ પર હંગામો થશે." વીડિયોમાં, તે વિરોધ પ્રદર્શનમાં જોડાતા સમર્થકોને સંભવિત હિંસાની પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવાની અપીલ પણ કરે છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

દિલ્હીના જંતર-મંતર ખાતે 6 જૂન આયોજિત વિરોધ પ્રદર્શન પહેલા `કૉકરોચ જનતા પાર્ટી` (CJP)ના એક કથિત સમર્થકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો છે. વીડિયોમાં જોવા મળતી વ્યક્તિની ઓળખ આંદોલનનો સમર્થક અમિત કુમાર સિંધી તરીકે થઈ છે. વીડિયોમાં, તે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માગતા લોકોને સંબોધી અને વિવાદાસ્પદ અને ભડકાઉ નિવેદનો આપતો જોવા મળે છે. આ વીડિયો  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હવે વાયરલ થઈ રહ્યો છે, જેની સામે હવે CJPના ટીકાકારોએ આરોપ લગાવ્યો છે કે વિરોધ પ્રદર્શનના નામે હિંસા ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, વીડિયોની સત્યતા હજી સુધી રીતે ચકાસવામાં આવી નથી.

વીડિયોમાં શું કહ્યું?

વાયરલ વીડિયોમાં, અમિત કુમાર સિંધી કહે છે "જો અભિજીત દિપકને ઇમિગ્રેશન દ્વારા રોકવામાં આવશે, તો ઍરપોર્ટ પર હંગામો થશે." વીડિયોમાં, તે વિરોધ પ્રદર્શનમાં જોડાતા સમર્થકોને સંભવિત હિંસાની પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવાની અપીલ પણ કરે છે. તેણે ટિપ્પણી કરી, "તમારી સલામતી માટે કેટલીક વસ્તુઓ ખરીદો, જેમ કે પેપર સ્પ્રે, લાકડીઓ વગેરે. જો પોલીસ અમને રોકવાનો પ્રયાસ કરશે, તો તેઓ લાકડીઓ અને પાણીના તોપનો ઉપયોગ કરશે." આ સાથે તે લોકોને વધુ આક્રમક વલણ અપનાવવાની હિમાયત કરે છે. વીડિયોમાં, તેને કહેતા સાંભળવામાં આવે છે: "અમે ઘણું સહન કર્યું છે. આ વખતે, અમે રેખા પાર કરીશું. `નેપાળ` જેવું થશે." આ નિવેદનોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપક પ્રતિક્રિયાઓ આવી રહી છે.

6 જૂને વિરોધ પ્રદર્શન

CJPના સ્થાપક અભિજીત દિપકે 6 જૂને ભારત પરત ફરવાનો છે. સંગઠન અનુસાર, દિલ્હી પહોંચ્યા પછી, તે જંતર મંતર પર પ્રસ્તાવિત વિરોધ માટે સત્તાવાર પરવાનગી મેળવવા માટે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની મુલાકાત લે તેવી શક્યતા છે.  તાજેતરના મહિનાઓમાં, CJPએ પરીક્ષા પેપર લીક અને ભરતી પ્રક્રિયાઓને લગતા વિવાદોને પ્રકાશિત કરીને વિદ્યાર્થીઓ અને નોકરી ઇચ્છુક લોકોમાં મહત્વાકાંક્ષી સ્થાન મેળવ્યું છે. સંગઠનનો દાવો છે કે NEET, CBSE, CUET અને SSC GD ભરતી પરીક્ષાઓ સંબંધિત મુદ્દાઓએ આશરે 9.5 મિલિયન યુવાનોને પ્રતિકૂળ અસર કરી છે.

અભિજીત દિપકે શાંતિપૂર્ણ આંદોલનનો દાવો કર્યો

વાયરલ વીડિયોને લઈને વધી રહેલા વિવાદ વચ્ચે, અભિજીત દિપકે કહ્યું છે કે તેનું આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે. તેણે કહ્યું, "હું ભારતના બંધારણમાં બીજા કોઈ પણ વસ્તુ કરતાં વધુ માનું છું. તે આપણને બધાને લોકશાહીમાં આપણો અવાજ વ્યક્ત કરવાનો અધિકાર આપે છે." 6 જૂનના પ્રદર્શન પહેલા, હવે ધ્યાન એ વાત પર કેન્દ્રિત છે કે સંગઠન વાયરલ વીડિયોમાં સામે આવેલા નિવેદનોથી પોતાને કેવી રીતે દૂર રાખે છે, અને શું પ્રસ્તાવિત વિરોધ શાંતિપૂર્ણ રીતે, કાયદા અને બંધારણની મર્યાદામાં રહીને હાથ ધરવામાં આવે છે.

cockroach janata party indian government bhartiya janta party bjp jantar mantar viral videos social media national news delhi airport new delhi