02 June, 2020 06:39 PM IST | Bihar | Gujarati Mid-day Online Correspondent
શક્તિસિંહ ગોહિલના માતા રાજેન્દ્રકુમારીબા હરિશ્ચંદ્રસિંહ ગોહિલ
બિહાર કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા શકિતસિંહ ગોહિલના માતા રાજેન્દ્રકુમારીબા હરિશ્ચંદ્રસિંહ ગોહિલનું આજે અવસાન થયું છે. આ બાબતે શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમજ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને રૂબરૂ ન મળવાની વિનંતી પણ કરી છે.
શક્તિસિંહે ટ્વીટમાં જણાવ્યું હતું કે, શક્તિસિંહ ગોહીલે ટ્વિટ કર્યું હતું કે મારા જીવનમા કદી નહીં પુરી શકાય તેવી ખોટ પડી છે. મારા માતુશ્રીનું આજે અવસાન થયેલ છે. મારા શુભચિંતકોની સંવેદના અમારા પરિવારની સાથે જ હોય તેનો મને પૂરો વિશ્વાસ છે. હાલ જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે શોકાંજલી માટે રૂબરૂ ન પધારવા વિનંતી છે.
શક્તિસિંહ ગોહિલના પરિવાર દ્વારા તેમના માતાના નિધન પર કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહારો બંધ રાખવામાં આવ્યા છે.