રાહુલ ગાંધીને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીઢ નેતાએ કાનમાં કહ્યું આવું ન બોલો મજાક બનશે

17 March, 2023 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એવું તો શું બોલ્યા હતા રાહુલ ગાંધી(Rahul Gandhi Congress) કે જયરામ રમેશે તેમને ટોકવા પડ્યા, જાણો અહીં આખો મામલો

રાહુલ ગાંધી

કોંગ્રેસ(Congress)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)તાજેતરમાં લંડનમાં ભારતના લોકતંત્ર અંગેના તેમના નિવેદનને લઈને ચારેબાજુથી ઘેરાવા લાગ્યા છે. ભાજપ(Bhajap) સંસદમાં રાહુલ ગાંધીની માફી માંગવા પર અડગ છે. દરમિયાન ભાજપે સ્પષ્ટ કર્યું છે કે જો રાહુલ ગાંધી માફી નહીં માંગે તો તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ સંસદ, ભારતની લોકશાહી અને સંસ્થાઓનું અપમાન કરતા નિવેદનો બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષ સમિતિની રચના કરવાની માંગ કરી છે.

નિશિકાંત દુબેએ કહ્યું કે રાહુલની લોકસભાની સદસ્યતા ખતમ કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવી જોઈએ. બીજેપી સાંસદનું કહેવું છે કે 2005માં પ્રશ્નોના બદલામાં પૈસા લેવાના મામલામાં એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી. સંસદની ગરિમાને ઠેસ પહોંચાડવાને કારણે સ્પેશિયલ કમિટીએ 11 સભ્યોની સદસ્યતા સમાપ્ત કરી દીધી હતી, જેને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી હતી.

રાજનાથ સિંહે આ મામલે બેઠક યોજી હતી
દુબેના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધીએ સતત યુરોપ અને અમેરિકા બોલાવીને સંસદ અને દેશની ગરિમાને કલંકિત કરી છે. એટલા માટે તેમને સંસદમાંથી હટાવવાનો સમય આવી ગયો છે. દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે સંસદ ભવનમાં આઠ વરિષ્ઠ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી દિવસોમાં રાહુલ સામે આ બાબતને આગળ લઈ જવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સંસદમાં બોલવું મારો અધિકાર, આશા છે, કાલે બોલવા આપશે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા ભાષણ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે મારા ભાષણમાં એવું કંઈ નથી જે મેં સાર્વજનિક રેકોર્ડમાંથી ન કાઢ્યું હોય. અહીં અને ત્યાંથી બધું એકત્ર કરવામાં આવ્યું હતું. આ આખો મામલો વિચલિત કરવાનો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ લંડનમાં આપેલા ભાષણ મુદ્દે સંસદમાં વિગતવાર જવાબ આપશે. હું સાંસદ છું અને સંસદ મારું પ્લેટફોર્મ છે. જ્યારે બીજી બાજુ આ દરમિયાન તે કેવું કઈંક બોલી  ગયા જેના કારણે વરિષ્ઠ નેતા જયરામ રમેશે તેમને ટોકવા પડ્યા હતાં. 

મીડિયા સાથે વાતચીત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું, "દુર્ભાગ્યપણે  હું સંસદનો સભ્ય છું અને મને આશા છે કે સંસદમાં મને બોલાવાનો મોકો મળશે."તેમના આ નિવેદન બાદ બાજુમાં બેઠેલા જયરામ રમેશે તેમણે વચ્ચે ટોક્યા અને ધીરેથી રાહુલ ગાંધીને કહ્યું કે તમે કહ્યું કે દુર્ભાગ્યપણે હું સાંસદ છું. આના પર તેમ મજાક બનાવી શકે છે. આના પર રાહુલ ગાંધીએ ફરી મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે હું સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે દૂર્ભાગ્યપણે હું તમારા સવાલના જવાબ નહીં આપી શકું. 

આ પણ વાંચો: AAP નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી, હવે જાસૂસી કાંડમાં CBIએ નોંધી FIR

સાંસદો સામે પણ કાર્યવાહી કરવાની માંગ
આ સાથે ભાજપે કોંગ્રેસના સાંસદો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે, જેઓ સતત ગૃહની અંદર પ્લેકાર્ડ લહેરાવી રહ્યા છે, અધ્યક્ષના આદેશની વિરુદ્ધ જઈ રહ્યા છે અને સંસદીય નિયમો અને પરંપરાઓનો ભંગ કરી રહ્યા છે. બુધવારે, કેન્દ્ર સરકારના બે વરિષ્ઠ પ્રધાનો, પીયૂષ ગોયલ અને પ્રહલાદ જોશીએ ગૃહની અંદર પ્લેકાર્ડ લહેરાવનારા સાંસદો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી, તેમને સસ્પેન્ડ પણ કર્યા હતા.

national news rahul gandhi congress bharatiya janata party london