લોકપાલને સંવૈધાનિક દરજ્જો નહીં મળતાં કૉન્ગ્રેસ-બીજેપીના આરોપ-પ્રત્યારોપ

29 December, 2011 05:32 AM IST  | 

લોકપાલને સંવૈધાનિક દરજ્જો નહીં મળતાં કૉન્ગ્રેસ-બીજેપીના આરોપ-પ્રત્યારોપ



આ મુદ્દે વાત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ‘પહેલાં બીજેપી આ મુદ્દે સરકારની સાથે હતી, પણ સંસદમાં એણે આ મુદ્દે સરકારના વિરોધમાં મતદાન કર્યું હતું. આમ બીજેપીનો અસલી ચહેરો સામે આવી ગયો છે.’

સોનિયા ગાંધીના આ આક્ષેપનો જવાબ આપતાં બીજેપીના નેતા વેન્કૈયા નાયડુએ કહ્યું હતું કે ‘લોકપાલને સંવૈધાનિક દરજ્જો ન મળી શક્યો એ કૉન્ગ્રેસની નિષ્ફળતા છે. કૉન્ગ્રેસ જ પોતાના સંસદસભ્યોની બરાબર ગણતરી નથી કરી શકી. અમે જવાબદાર વિરોધપક્ષ તરીકેની અમારી જવાબદારી બહુ સારી રીતે સમજીએ છીએ એટલે કૉન્ગ્રેસ અમારા પર કારણ વગરના આરોપ લગાડવાનું બંધ કરી દે.’